News of Thursday, 7th December 2017
કુંભમેળાને ''માનવતાની અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર " તરીકે યુનેસ્કોની માન્યતા
નવી દિલ્હી :યૂનેસ્કોએ ભારતનાં કુંભ મેળાને "માનવતાની અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર' તરીકે માન્યતા આપી છે. આંતરરાષ્ટ્રીય સંગઠને ટ્વિટર પર આ મામલે જાણકારી આપી છે યૂનેસ્કોનાં અધીનસ્થ સંગઠન ઇન્ટરગવર્નમેંટલ કમિટી ફોર ધ સેફગાર્ડિંગ ઑફ ઇન્ટેંજિબલ કલ્ચરલ હેરીટેઝે દક્ષિણ કોરીયાનાં જેજૂમાં યોજાયેલ પોતાનાં 12માં સત્રમાં કુંભમેળાને "માનવતાની અમૂર્ત સાંસ્કૃતિક ધરોહરની પ્રતિનિધિ યાદી"માં શામેલ કરેલ છે.
(11:05 pm IST)