મુખ્ય સમાચાર
News of Monday, 7th October 2019

દેશના રાજનીતિક નકશામાં કોંગ્રેસનો સફાયો: હવે કેલ્શિયમનું ઈન્જેક્શન આપીને બચાવી શકાય તેમ નથી: ઔવેસીના પ્રહાર

ઓવૈસીની પાર્ટીને ભાજપની એ-બી અને સી ટીમ કહેતા હતા તેઓ આજે ભાજપમાં સામેલ

પુણે : મહારાષ્ટ્રના પુણેમાં જનસભા સંબોધતા એઆઈએમના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા. તેમણે જણાવ્યુ કે, કોંગ્રેસને હવે કેલ્શિયમનું ઈન્જેક્શન આપી બચાવી શકાય તેમ નથી. દેશના રાજનીતિક નકશામાં કોંગ્રેસનો સફાયો થઈ ચુક્યો છે  જે ગઈ કાલ સુધી ઓવૈસીની પાર્ટીને ભાજપની એ-બી અને સી ટીમ કહેતા હતા તેઓ આજે ભાજપમાં સામેલ થયા છે

  ઓવૈસીએ વધુમાં જણાવ્યુ કે, શિવસેના આદિત્ય ઠાકરેને ચૂંટણી મેદાનમાં ઉતારી રહી છે. હવે એવુ લાગી રહ્યુ છે કે, હવે રિમોટ કંટ્રોલ કામ નથી કરી રહ્યુ.. જેથી ઉદ્ધવ ઠાકરેઓ પોતાના પુત્રને ચૂંટણી મેદાનમાં ઉતાર્યો છે

(11:38 am IST)