અભિનેતા અક્ષયકુમારની ''ભારત કે વીર ''બન્યું ટ્રસ્ટ ;હવે દાન ઉપર નહિ લાગે ટેક્સ
નવી દિલ્હી ;અભિનેતા અક્ષય કુમારને દેશના સૌનિકો પ્રત્યે સહાનુભૂતિને લઈને ગયા વર્ષે તેના સૂચન બાદ ગૃહ મંત્રાલયએ ‘ભારત કે વીર’ નામની વેબસાઈટ લૉન્ચ કરી હતી. જેમાં લોકોને શહીદ સૈનિકોના પરિવારના બેન્ક એકાઉન્ટમાં સીધા પૈસા ટ્રાન્સફર કરવાની સુવિધા આપવામાં આવી છે અને હવે તેને ટ્રસ્ટ ઘોષિત કરવામાં આવી છે. સાથે જ તેને ફોર્મ 80ની નીચે ઈન્કમટેક્સની બહાર રાખવામાં આવ્યું છે. આમાં પૈસા ટ્રાન્સફર કરવા પર ટેક્સ નથી લાગતો
. અક્ષય અને ગૃહ મંત્રાલય આ માટે ધણા સમયથી પ્રયાસ કરી રહ્યા હતા. ગુરુવારે ગૃહમંત્રી રાજનાથ સિંહે ટ્વીટ કરાને આ વાતની જાણકારી આપી હતી. સાથે એ પણ જણાવ્યું હતું કે અક્ષય કુમાર આના ટ્રસ્ટી હશે.
તેમણે ટ્વીટ કરીને જણાવ્યું કે, ગૃહ મંત્રાલયે ગયા વર્ષે ‘ભારત કે વીર’ના નામથી એક ખાસ પહેલ કરી હતી. જેને ઘણી સફળતા મળી છે. હવે તેને એક રજીસ્ટર્ડ ટ્રસ્ટમાં ફેરવી દેવામાં આવ્યું છે.