મુખ્ય સમાચાર
News of Sunday, 7th August 2022

હવે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને આપ વચ્‍ચે મુકાબલોઃ હું કોઇ આતંકવાદી નથી કે મારી મીટીંગમાં આવતા વેપારીઓને ડરાવાય છેઃ અરવિંદ કેજરીવાલ વચનોની લ્‍હાણી કરી

-‘‘આપ’’ના સુપ્રિમો અને દિલ્‍હીના મુખ્‍યમંત્રીમાં વડોદરામાં પત્રકાર પરિષદ

રાજકોટ : વડોદરામાં પત્રકાર પરિષદ સંબોધીને આમ આદમી પાર્ટીના સુપ્રિમો અને દિલ્‍હીના મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપ ઉપર પ્રહારો કર્યા હતા.

જેમ જેમ રાજ્યમાં વિધાનસભાચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે રાજકીય નેતાઓના ગુજરાત પ્રવાસ વધી રહ્યા છે. ત્યારે દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બે દિવસીય ગુજરાત પ્રવાસે છે.ત્યારે આજે વડોદરાની મુલાકાતે છે. ત્યારે આજે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યુ હતુ. આ તકે અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતુ કે હવે ચૂંટણીમાં આપ-ભાજપ વચ્ચે સીધી ટક્કર થશે'.

વધુમાં જણાવ્યું હતુ કે આમ આદમી પાર્ટી ઈમાનદાર અને શરીફો અને દેશભક્તોની પાર્ટી છે. અમને દંગા ફસાદ, લડાઈ કરતા આવડતું નથી. અમે મુદ્દાની વાત કરીએ છીએ.અત્યાર સુધી ત્રણ ગેરંટી આપી છે. પંજાબમાં 25 લાખ પરિવારોનું વીજળી બિલ ઝીરો આવ્યુ છે. હજુ પણ 26 લાખ મળી 51 લાખ પરિવારોને વીજળીનું બિલ ઝીરો આવશે. અમે બોગસ મેનીફેસ્તો, ઘોષણાપત્ર નથી આપતા. 10 લાખ સરકારી નોકરી આપની સરકાર આપશે.

ગુજરાતનો યુવાન બેરોજગાર છે, નોકરી નથી. ગુજરાતમાં વારંવાર પેપર લીક થાય છે. અમે પેપર લીકને લઈ કડક કાયદો બનાવીશું. પેપર ફોડનાર લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરીશું. આ સાથે જ વેપારીઓની વાત કરતાં જણાવ્યું હતુ કે વેપારીઓને અમે સન્માન આપીશું, રેડ રાજ ખતમ કરીશું. વેપારીઓને ગુજરાતમાં ડરાવે છે.કેજરીવાલની બેઠકમાં ન જાવ તેમ કહી ધમકાવે છે . હું કોઈ આતંકવાદી નથી. વેપારીઓ માટે વેટના પેન્ડિંગ રિફંડ 6 મહિનામાં આપીશું.

 

વધુમાં જણાવ્યું હતુ કે આદિવાસી સમાજને આજે અમે ગેરંટી આપવા જઈ રહ્યા છીએ. આદિવાસીઓનું ગુજરાતમાં શોષણ કરવામાં આવી રહ્યું છે. આદિવાસી સમાજને સંવિધાનના 5 શિડયુલને લાગુ કરીશું. પેસા કાનૂનને લાગુ કરીશું. ગ્રામ સભાની મંજુરી વિના સરકાર એક્શન નહિ લઈ શકે. ટ્રાઈબલ એડવાઈઝરી કમિટીનો ચેરમેન આદિવાસી જ હશે. દરેક આદિવાસી ગામડાઓમાં એક સારી સ્કૂલ ખોલીશું. આદિવાસીઓ માટે દરેક ગામડામાં ગાવ ક્લિનિક ખોલીશું. આદિવાસી વિસ્તારોમાં સ્પેશિયાલીટી હોસ્પિટલ ખોલીશું. આદિવાસીઓને કાસ્ટ સર્ટિફિકેટ સરળતાથી આપીશું. જેમની પાસે ઘર નથી તેમને ઘર આપીશું. રોડ રસ્તા સારા બનાવીશું.

વધુમાં જણાવ્યું હતુ કે ગુજરાતમાં લોકોનો સર્વે કરવામાં આવ્યો હતો જેમાં 99 ટકા લોકોએ કહ્યું મફતમાં શિક્ષણ આપો. 97 ટકા લોકોએ કહ્યું મફતમાં સારવાર થવી જોઈએ. 91 ટકા લોકોએ કહ્યું મફતમાં વીજળી મળવી જોઈએ.

વિધાનસભા ચૂંટણી આપ અને ભાજપ વચ્ચે થશે. કોંગ્રેસના મોટા ભાગના નેતા ભાજપમાં ગયા, હજી પણ ભાજપમાં જશે. ભાજપ અને કોંગ્રેસની ઇલું ઈલું ની રાજનીતિ ચાલતી હતી, જે હવે નહિ ચાલે. કેમ કે કોંગ્રેસ ભાજપમાં મર્જ થવા જઈ રહી છે. આપમાં દરેક ગુજરાતી મુખ્યમંત્રી બનશે. ભાજપે ઉદ્યોગપતિઓના 10 લાખ કરોડ રૂપિયા માફ કર્યા. જેમની લોન માફ થઈ તેની તપાસ થવી જોઈએ તેમ અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતુ.

જ્યારે નેશનલ જોઇન્ટ સેક્રેટરી ઇસુદાન ગઢવીએ જણાવ્યુ હતુ કે ગુજરાતમાં પોલીસને ખૂબ ઓછો પગાર મળી રહ્યો છે તે આપ સ્વીકારે છે . ગુજરાતમાં પોલીસને 18 કલાક કામ કરાવે છે. પોલીસને ગ્રેડ પે મળવો જોઈએ, 8 કલાક ઉપરાંત કોઈ નોકરી કરે તો તેને વધુ વળતર મળવું જોઈએ.

(4:49 pm IST)