News of Tuesday, 7th August 2018
ઇન્દિરા ગાંધીના અંગત સચિવ એવા કોંગ્રેસના નેતા આર,કે,ધવનનું નિધન :81 વર્ષના ધવનએ દિલ્હીની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા
નવી દિલ્હી :પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ઈન્દિરા ગાંધીના અંગત એવા કોંગ્રેસ નેતા આર. કે. ધવનનું દિલ્હીની એક હોસ્પિટલમાં નિધન થયુ છે તેઓ 81 વર્ષના હતા
તેઓના પરિવારના નજીકના સૂત્રોએ જણાવ્યું કે સાંજે 7 વાગ્યે બી.એલ.કપૂર હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. ધનવને ગત ગુરૂવારે વધી રહેલી ઉંમર સાથે જોડાયેલી સ્વાસ્થ્ય સમસ્યાઓને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ધનવને શ્રદ્ધાંજલિ આપતા ટ્વિટ કર્યું ‘અંતિમ શ્વાસ લેનારા સિનિયર કોંગ્રેસ નેતા આર. કે. ધવનને અમારી શ્રદ્ધાંજલિ’. રાજિન્દર કુમાર ધવન ઘણા લાંબા સમય સુધી પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીના અંગત સચિવ રહ્યા હતા.
(12:00 am IST)