News of Saturday, 7th July 2018
બ્રિટન સરકારે નવી વીઝા પોલીસી જાહેર કરીઃ વિદેશી વૈજ્ઞાનિકો,સંશોધકો,તથા વિદ્વાનોને ૨ વર્ષ માટે વીઝા આપશે
લંડનઃ બ્રિટન સરકારે નવી વીઝા પોલીસી જાહેર કરી છે. જે મુજબ યુરોપ સિવાયના ભારત સહિતના દેશોના વૈજ્ઞાનિકો, સંશોધકો, તથા વિદ્વાનોને ર વર્ષ માટે વીઝા અપાશે. આ નવી વીઝા પોલીસીનો હેતુ સંશોધન ક્ષેત્રે વિકાસ સાધવાનો છે. તેવું બ્રિટનના મિનીસ્ટર કારોલાઇન નોકરીએ સમાચાર સૂત્રોને જણાવ્યું છે.
(8:56 pm IST)