મુખ્ય સમાચાર
News of Saturday, 7th July 2018

જ્યોતિષ શાસ્ત્રમાં આજનો દિવસ મહત્વનોઃ ૭મી તારીખ, ૭મો મહિનો અને શનિવારની તિથી હોવાથી અનેક સંયોગો રચાયા

નવી દિલ્હીઃ અંકજ્યોતિષમાં 7 અંકનો સંબંધ કેતુ સાથે માનવામાં આવ્યો છે જેને રહસ્ય અને ગુપ્ત વિષયોનું પરિબળ માનવામાં આવે છે. આ અંકનો મનુષ્યના જીવન પર સૌથી વધુ પ્રભાવ પડે છે. સૃષ્ટિમાં પણ આ અંકનું બહુ મોટું મહત્વ માનવામાં આવ્યું છે. 7 મહાસાગર છે, 7 સુર છે અને ઈન્દ્રધનુષના રંગ પણ સાત છે જેનો મનુષ્ય સાથે વિશેષ સંબંધ છે.

આજે જુલાઈ મહિનાની 7મી તારીખ છે અને શનિવારની તિથિ છે. શનિવાર હોવાથી આ સપ્તાહનો સાતમો દિવસ છે. આ બંને સંયોગો ઉપરાંત આજે કેટલાય સંયોગો બન્યા છે જેનાથી અંક 7 પુનરાવર્તન થઈ રહ્યું છે.

જુલાઈ મહિનો હોવાના કારણે મહિનાનો અંક પણ 7 છે. તથા તિથિ, માસ અને વર્ષના આંકડાને જોડવામાં આવે તો એનો યોગ પણ 7 જ બની રહ્યો છે (7+7+2018=25). અંકજ્યોતિષમાં અંકોનો યોગ 9 સુધી જ રાખવામાં આવે છે માટે 25 અંકોને જોડશું જેનો યોગ 7 થશે. આવી રીતે 7 જુલાઈએ 7+7+7નો મહાસંયોગ બની રહ્યો છે. આ ત્રણ 7ને જોડવાથી અંક ત્રણ બની રહ્યો છે જે ગુરુ સંબંધિત છે. એવામાં આજનો દિવસ કેટલાક લોકો માટે બહુ લકી રહેશે તો કેટલાક ોલકો માનસિક રીતે પરેશાન થઈ શકે છે.

જે લોકોનો મૂળાંક 3 છે એમના માટે આજનો દિવસ શુભ રહેશે. આજના દિવસે તેઓ વાહન ખરીદી શકે, નવું કામ શરૂ કરાની ઈચ્છા દાખવી શકે. આજે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી વિશેષ શુભ ફળ મળશે.

જે લોકોનો મૂળ અંક 7 અને 8 છે એમના માટે આજનો દિવસ માનસિક તણાવવાળો રહી શકે છે. સ્વાસ્થ્ય નરમ રહેશે અને માથાના દુઃખાવો થઈ શકે છે. ગુપ્ત અને રહસ્યમયી વિષયોમાં આજે તમને વિશેષ રસ જાગશે.

અન્ય મૂળ અંકવાળા લોકો માટે આજનો દિવસ સારો પણ રહેશે અને અમુક અંશે ખરાબ પણ રહેશે. પરંતુ સલાહ છે કે આજે જોખમવાળાં કામથી બચવું. આર્થિક લેણ-દેણમાં સાવધાની વરતવાથી ફાયદો થશે. આંખો બંધ કરીને કોઈના પર પણ વિશ્વાસ ન કરી લેવો.

આજે કુતરાને રોટલીમાં તેલ લગાવીને ખવળાવવાથી તમામ લોકો માટે ફાયદો થશે આનાથી શનિ અને કેતુના પ્રતિકૂળ પ્રભાવમાં ઘટાડો થશે. આજે કેતુનો મંત્ર ઓમ ક્રાં ક્રીં ક્રૌ સઃ કેતવે નમઃમંત્રનો ઉચ્ચાર કરવો.

(6:11 pm IST)