મુખ્ય સમાચાર
News of Saturday, 7th July 2018

જમ્‍મુ-કાશ્‍મીરઃ બુરહાન વાનીની વરસી પૂર્વે બંધ દરમ્‍યાન સેના-પથ્‍થરબાજો વચ્‍ચે સંઘર્ષઃ ત્રણના મોતઃ ૧૩ થી વધુને ઇજાઃ ટેન્‍શન

પુલવામા-ત્રાલ સહિત ઠેર-ઠેર કર્ફયુ

શ્રીનગરઃ જમ્‍મુ-કાશ્‍મીરમાં કુલગામ જિલ્લામાં સેનાના સર્ચ ઓપરેશન દરમ્‍યાન પથ્‍થરબાજોનો હંગામોઃ સેના-પથ્‍થરબાજો વચ્‍ચે અથડામણમાં ત્રણના મોતઃ ૧૩ને ઇજાઃ મૃતકમાં એક સગીર બાળા પણ છેઃ હિંસક સંઘર્ષ બાદ કુલગામ-અનંતનાગમાં ઇન્‍ટરનેટ સેવા બંધ કરાઇઃ આ હિંસા બુરહાન વાનીની વરસી પૂર્વે અપાયેલા બંધ દરમ્‍યાન થઇઃ અલગાવવાદીઓએ બંધનું એલાન આપ્‍યું છે પુલવામાં અને ત્રાલ સહિત ઠેર-ઠેર કર્ફયુ લાદી દેવાયોઃ કાલે રવાના થનાર અમરનાથ યાત્રા પણ રોકી દેવાઇઃ કાલે બુરહાન વાનીની વરસી છેઃ હિંસા થવા વકીઃ શ્રીનગર નેશનલ હાઇવેના ૩૦૦ કિમી.ના વિસ્‍તારમાં રેડએલર્ટ જાહેર

(4:52 pm IST)