ગૃહમંત્રી અમિતભાઇને પૂર્વ વડાપ્રધાન અટલજીનો બંગલો ફાળવાશેઃ સમારકામ ચાલુ
નવી દિલ્હીઃ મોદી સરકાર -૨માં ગૃહમંત્રી અમિતભાઇ શાહને પૂર્વ વડાપ્રધાન અટલજીનો બંગલો ફાળવાઇ તેવી શકયતા છેઃ વાજપેયજી ૨૦૦૪થી આ બંગલામાં જ રહયા હતા અને અહિં જ ગત ઓગષ્ટમાં તેમનું નિધન થયુ હતુ. ત્યારબાદ અટલજીના પરિવારજનોએ નવેમ્બરમાં બંગલો ખાલી કરી દીધો હતો. સરકારના સુત્રોએ પણ આ વાતને સમર્થન આપતા જણાવેલ કે ગૃહમંત્રી અમિતભાઇની જરૂરીયાત મુજબ ફેરફારો કરી એક મહિનામાં બંગલો તૈયાર કરી અપાશે.
સત્તરમી લોકસભામાં ગૃહમંત્રી બનેલ અમિતભાઇને અટલજીવાળો બંગલો ફાળવશે. કેન્દ્રીય પ્રધાનોને ફાળવતા ''ટાઇટ ૮'' શ્રેણીના આ બંગલામાં જરૂરી સમારકામ ચાલી રહયું છે.બંગલા ખાતેના કર્મચારીઓના જણાવ્યા મુજબ ખુદ અમિતભાઇ અહિં આવીને સમારકામનું ઓર્બ્ઝવેશન કરી ચુકયા છે. હાલ અમિતભાઇ રાજયસભા સભ્ય રૂપે અકબર રોડ ખાતે ૧૧ નંબરના બંગલામાં રહે છે.