મુખ્ય સમાચાર
News of Thursday, 7th June 2018

પંચકૂલામાં હિંસા મામલે હનીપ્રિતની જમીન અરજી કોર્ટે ફગાવી

નવી દિલ્હી :રામરહીમ કેસ મામલે પંચકુલામાં થયેલા હિંસક તોફાનો મુદ્દે પંચકુલા કોર્ટે હનીપ્રીતની જામીન અરજી ફગાવી દિધી છે. હરિયાણા અને પંજાબમાં થયેલી હિંસા દરમિયાન હનીપ્રીતને માત્ર દેશદ્રોહના મામલે આરોપી બનાવવામાં આવી હતી.
આ  મામલાની સુનાવણી કરતાં સેશન કોર્ટે જામીન અરજી પર 7 જૂન સુધી ફેંસલો સુરક્ષિત રાખ્યો હતો. આ મામલામાં 32 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જેમાંથી 18 લોકોને જામીન મળી ચૂક્યા છે.

(8:41 pm IST)