મુખ્ય સમાચાર
News of Thursday, 7th June 2018

ગાંધીજીના સત્યાગ્રહમાં નિમિત ટ્રેન ફરી ચાલી

આજથી ૧૨૫ વર્ષ પહેલા દક્ષિણ આફ્રિકામાં ગાંધીજી રંગભેદ નીતિનો ભોગ બન્યા હતા. ત્યારબાદ ગાંધીજીએ સત્યાગ્રહ દ્વારા આ નિતિનો વિરોધ કરેલ. સત્યાગ્રહના શસ્ત્ર દ્વારા જ ગાંધીજીએ ભારતને અંગ્રજોની ગુલામીમાંથી આઝાદી અપાવી હતી. આ એ જ ટ્રેન છે  જેમાં ગોરા લોકોના ડબ્બામાંથી ગાંધીજીને ઉતારી દેવાયેલ એ ટ્રેન આજે ફરી સત્યાગ્રહના ૧૨૫ વર્ષ પુર્ણ તથા ચલાવવામાં આવી હતી. અને ત્યાં વસતા ભરતીયોએ ખાદીના કપડા પહેરી ટ્રેનમાં મુસાફરી કરી ગાંધીજીના સત્યાગ્રહના સ્મરણો વાગોળ્યા હતા.

(4:18 pm IST)