મુખ્ય સમાચાર
News of Sunday, 7th March 2021

શિપ્રા નદીના ત્રિવેણી ઘાટમાં વિસ્ફોટો અને અગનજવાળા

મધ્યપ્રદેશ: ઉજ્જૈનના શિપ્રા નદીના ત્રિવેણી ઘાટ ઉપર છેલ્લા કેટલાક દિવસોથી ભૂસ્તરમાં વિસ્ફોટો થઈ રહ્યા છે.  નજીકમાં રહેતા ગ્રામજનોએ તેનો અવાજ સાંભળ્યો છે.  વિસ્ફોટ થઈ રહ્યા છે ત્યાંથી આગ અને ધુમાડો પણ જોવા મળ્યો છે. ટૂંક સમયમાં જ ભૂસ્તરશાસ્ત્રીઓ અને સર્વેની ટીમ તપાસ માટે અહીં આવશે.  કલેકટર આશિષસિંહે કહ્યું કે તપાસ કર્યા પછી, ખીબશકીએ કે નદીની અંદર કેમ વિસ્ફોટ થાય છે.  આ ઘટના બાદ ઘાટની આસપાસ અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.  સલામતી ખાતર, ત્યાં બે કર્મચારીને ફરજ મુકવામાં આવ્યા છે.

(8:00 pm IST)