મુખ્ય સમાચાર
News of Sunday, 7th March 2021

જલંધરમાં બાળકોમાં અચાનક કોરોના કેસ વધવા લાગતા નાઈટ કર્ફ્યુ લાગુ

પંજાબ : પંજાબના જલંધર શહેરમાં ગઈકાલ રાતથી રાત્રે ૧૧ થી સવારે ૫ વાગ્યા સુધીનો કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. કોરોના વાયરસ સંક્રમણના કેસો વધવા લાગતા અને ખાસ કરીને સ્કૂલના બાળકોમાં કેસોનો ઉછાળો આવતાં નાઈટ કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે. દેશના કેટલાક રાજ્યોમાં અચાનક કોરોના કેસોમાં જબરો ઉછાળો આવ્યો છે. જેમાં મહારાષ્ટ્રની સરહદે આવેલ મધ્યપ્રદેશના ૬ જિલ્લા અને શહેરોમાં કર્ફ્યુ લદાયો છે અને મહારાષ્ટ્રથી આવનાર માટે કોરોના નેગેટિવ સર્ટિફિકેટ ફરજિયાત બનાવાયું છે.

(10:41 am IST)