News of Thursday, 7th February 2019
ર૦૪૩ કરજદારો પાસે સરકારી બેન્કોના રૂ. ૬.૮ લાખ કરોડ બાકી : સરકાર
નાણામંત્રી પિયુષ ગોયલએ આરબીઆઇના આંકડાનો હવાલો આપતા જણાવ્યુ છે કે ૩૦ સપ્ટે. ર૦૧૮ સુધીમાં ર૦૪૩ કરજદારો પાસે સરકારી બેન્કોના કુલ રૂ. ૬.૮૪ લાખ કરોડ બાકી હતા. ગોયલએ જણાવ્યું કે ૩૧ માર્ચ ર૦૧પ સુધી સરકારી બેન્કોનું એનપીએ (ફસાયેલુ કર્જ) રૂ. ર.૭૯ લાખ હતુ જે ૩૧મી માર્ચ ર૦૧૮ સુધી વધીને રૂ. ૮.૯પ લાખ કરોડ થઇ ગયુ.
(12:00 am IST)