કોલકતામાં JNU હિંસાના પડઘા : ભાજપ અને ડાબેરી સમર્થકો આમનેસામને : પોલીસનો લાઠીચાર્જ
પોલીસકર્મીઓ અને જાદવપુર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ
કોલકતા : દિલ્હીની જેએનયુ યુનિવર્સિટીમાં હુમલાની અસર હવે દેશના બાકી શહેરોમાં પણ દેખાઇ રહી છે. કોલકાતામાં સુલેખા મોડ પર પોલીસ કર્મીઓ અને જાદવપુર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું ત્યારબાદ ટોળાને વિખેરવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો
આ પહેલા કોલકાતામાં લેફ્ટ અને બીજેપીના સમર્થક સામ-સામે આવી ગયા. ત્યારબાદ દક્ષિણી કોલકાતામાં ટ્રાફિક જામ સર્જાયો છે અને બંને વચ્ચે કોઇપણ પ્રકારની અપ્રિય ઘટના રોકવા માટે ભારે પોલીસ જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે. વિસ્તારમાં બંને પાર્ટીઓના સમર્થકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
આ પહેલા જેએનયુ વિદ્યાર્થી સંઘની અધ્યક્ષ આઇશી ઘોષે કહ્યું કે, ગત 4-5 દિવસોથી આરએસએસ સાથે જોડાયેલા પ્રોફેસર્સ અમારા આંદોલનને તોડવા માટે હિંસા ભડકાવી રહ્યા છે. આ એક પહેલાથી આયોજીત હુમલો હતો. તેઓ લોકોને બહાર નીકાળીને હુમલા કરી રહ્યા હતા.