પીએમ મોદી પોતાને સાબિત કરવા સરદાર પટેલ અને ગાંધીજીને નીચા દેખાડી રહ્યાં છે :રાહુલ ગાંધી
કરતારપુર કોરિડોર મામલેરાહુલ ગાંધીએ ફેસબુકમાં તસ્વીર પોસ્ટ કરીને પીએમને આપ્યો જવાબ
નવી દિલ્હી :કરતારપુર કોરિડોર મામલે દેશમાં રાજકીય ઘમાસાણ સર્જાયું છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર કરતારપુર કોરિડોર અને સરદાર વલ્લભભાઈ પટેલની એક તસ્વીર પોસ્ટ કરી પીએમ મોદી પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, પીએમ મોદી પોતાને સાબિત કરવા માટે સરદાર પટેલ અને મહાત્મા ગાંધીને નીચા દેખાડી રહ્યા છે
રાહુલ ગાંધીએ આ પ્રકારની પોસ્ટ પીએમ મોદીએ પૂર્વ પ્રધાન મંત્રી જવાહરલાલ નહેરૂ અંગે રાજસ્થાનના હનુમાનગઢમાં આપ્યુ હતું. તેમણે જવાહરલાલ નહેરૂ પર સવાલ ઉઠાવ્યા હતા. મહત્વપૂર્ણ છે કે, પીએમ મોદીએ રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ અને કોંગ્રેસના નેતાઓના નામ લીધા વગર આકરા પ્રહાર કર્યા હતા. જે બાદ તેના વળતા જવાબમાં રાહુલ ગાંધીએ પીએમ મોદી પર નિશાન સાધ્યુ છે.