મુખ્ય સમાચાર
News of Sunday, 6th October 2019

જમ્મુ-કાશ્મીરમાં 200થી 300 સક્રિય આતંકીઓ : DGP દિલબાગસિંહ

જમ્મુ, લેહ અને કારગિલમાં સ્થિતિ ખૂબ શાંતિપૂર્ણ: શ્મીરની પરિસ્થિતિમાં ઘણો સુધારો

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરના DGP દિલબાગસિંહે કહ્યું કે, તમામ સરહદી વિસ્તારોમાં અમારી ઘુસણખોરી વિરોધી ગ્રીડ ખૂબ જ મજબુત છે, જેમણે આવા અનેક પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા છે. તાજેતરની સૈન્યની કાર્યવાહી દરમિયાન ઘણા આતંકવાદીઓ માર્યા ગયા છે. તેમણે કહ્યું કે રાજ્યમાં હાલમાં સક્રિય આતંકીઓની સંખ્યા આશરે 200-300ની આસપાસ છે.

સિંહે કહ્યું કે જમ્મુ, લેહ અને કારગિલમાં હાલની સ્થિતિ ખૂબ શાંતિપૂર્ણ છે અને હવે કાશ્મીરની પરિસ્થિતિમાં ઘણો સુધારો થયો છે. જણાવ્યું હતું કે આજે સવારે રસ્તાઓ પર ઘણો ટ્રાફિક હતો, બજારો ખુલ્લા છે, ધંધા ચાલુ છે. આગામી દિવસોમાં પરિસ્થિતિમાં વધારે સુધારો થશે.

(10:12 pm IST)