News of Friday, 6th September 2019
ભારત ક્યારેય આક્રમક રહ્યું નથી,પરંતુ પોતાની રક્ષા માટે શક્તિનો ઉપયોગ કરવામાં ખચકાશે.નહીં ;રાજનાથસિંહ
સિઓલમાં યોજાયેલી સંરક્ષણ મંત્રણામાં સંરક્ષણમંત્રીની સ્પષ્ટ વાત
નવી દિલ્હી : સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે કહ્યું હતું કે ભારત ક્યારેય આક્રમક રહ્યું નથી, પરંતુ આનો અર્થ એ નથી કે તે પોતાની શક્તિનો ઉપયોગ પોતાની રક્ષા માટે કરવામાં ખચકાશે. કાશ્મીર મુદ્દે ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવની પૃષ્ઠભૂમિની વિરુદ્ધ સિઓલમાં યોજાયેલી સંરક્ષણ મંત્રણામાં તેમણે આ ટિપ્પણી કરી હતી.
સિંહે દક્ષિણ કોરિયાના ઉચ્ચ સૈન્ય અધિકારીઓની હાજરીમાં કહ્યું હતું કે 'ભારતનો ઇતિહાસ જોતા તે ક્યારેય હુમલો કરનાર રહ્યો નથી અને ન તો રહેશે. પરંતુ આનો અર્થ એ નથી કે તે પોતાની સુરક્ષા માટે પોતાની શક્તિનો ઉપયોગ કરવાનું ટાળી શકશે.
(12:00 am IST)