મુખ્ય સમાચાર
News of Thursday, 6th August 2020

અભિનેત્રી અને સાંસદ હેમામાલીનીએ ઘરમાં દીવા પ્રગટાવ્યા અને પૂજા કરી

ચાહકોને આ ઐતિહાસિક પળના સાક્ષી બનવા બદલ અભિનંદન આપ્યા

સમગ્ર દેશમાં રામ જન્મભૂમિ પૂજન પર આનંદનું વાતાવરણ હતું અને લોકોએ દીપાવલીની જેમ આ વિશેષ દિવસની ઉજવણી કરી હતી. આ ઐતિહાસિક દિવસને વિશેષ રીતે ઉજવ્યો અને ચાહકોને તેમના રામ જન્મભૂમિ પૂજન પર અભિનંદન પણ આપ્યા હતા  અભિનેત્રી હેમા માલિનીએ પણ ચાહકોને આ ઐતિહાસિક પળના સાક્ષી બનવા બદલ અભિનંદન આપ્યા હતા અને તેમના ઘરે દીવડાઓ પ્રગટાવીને આ ખાસ દિવસની ઉજવણી પણ કરી હતી.

 હેમા માલિનીએ રામ જન્મભૂમિનો શિલાન્યાસની ખુશીમાં તેમના ઘરના મંદિરમાં પાંચ દીવા કર્યા હતા. અભિનેત્રીએ તેની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. હેમા માલિનીએ લખ્યું- 'ભગવાન રામના અયોધ્યાના આગમનની ખુશીમાં પાંચ દીવા પ્રગટાવ્યા. આ ક્ષણ ખરેખર ગૌરવ પૂર્ણ છે. વડા પ્રધાન  મોદીએ, અયોધ્યામાં રામ મંદિરની ભૂમિની પૂજા કરીને સમગ્ર રાષ્ટ્રને ઐતિહાસિક ક્ષણ નું સાક્ષી બનાવ્યું છે.

સોશિયલ મીડિયા પર હેમા માલિનીની આ તસવીરને ચાહકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે, અને આ ખાસ દિવસે તેમને અભિનંદન પણ આપી રહ્યા છે. હેમા માલિની આ દિવસોમાં રાજકારણમાં ખૂબ સક્રિય છે. તે મથુરાથી ભાજપના સાંસદ છે. 

(1:48 pm IST)