News of Thursday, 6th August 2020
અયોધ્યામાં રામમંદિર ભૂમિપૂજનનો જશ્ન અમેરિકામાં : કેપિટલ હિલમાં ભેગા થયેલા ભારતીયોએ દીપ પ્રાગટ્ય કર્યું : ભૂમિપૂજનની તસવીરો નિહાળી : જય શ્રી રામ ના નાદ સાથે ભાવવિભોર બન્યા
વોશિંગટન : આજ 5 ઓગસ્ટના રોજ ભારતના અયોધ્યામાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વરદ હસ્તે રામમંદિરનું ભૂમિ પૂજન કરાયું હતું.જેને અનુલક્ષીને અમેરિકામાં વસતા ભારતીયોએ પણ જશ્ન મનાવ્યો હતો.તેઓ કેપિટલ હિલ ખાતે ભેગા થયા હતા.દીપ પ્રાગટ્ય કર્યું હતું.તથા ભૂમિપૂજનની તસવીરો નિહાળી હતી અને જય શ્રી રામના નાદ સાથે ભાવવિભોર થયા હતા.
યુ.એસ.સ્થિત વિશ્વ હિન્દૂ પરિષદ સહીત જુદા જુદા સંગઠનો તથા સમૂહોએ ઓનલાઇન કાર્યક્રમોના આયોજનો કર્યા હતા.હિન્દૂ મંદિરોમાં પ્રાર્થના ,પૂજા ,આરતી સહીત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.
(8:33 am IST)