નકવી અને RCP સિંહના રાજીનામા બાદ સ્મૃતિ ઈરાનીને લઘુમતી કલ્યાણ મંત્રી બનાવાયા : સિંધિયાને સ્ટીલ મંત્રાલય સોંપાયું
કેન્દ્રીય મંત્રી પરિષદમાંથી મુખ્તાર અબ્બાસ નકવી અને રામ ચંદ્ર પ્રસાદ સિંહના રાજીનામાને તાત્કાલિક અસરથી સ્વીકાર્યું છે
નવી દિલ્હી :રાષ્ટ્રપતિએ પીએમની સલાહ મુજબ, કેન્દ્રીય મંત્રી પરિષદમાંથી મુખ્તાર અબ્બાસ નકવી અને રામ ચંદ્ર પ્રસાદ સિંહના રાજીનામાને તાત્કાલિક અસરથી સ્વીકાર્યું છે. સ્મૃતિ ઈરાનીને તેમના વર્તમાન પોર્ટફોલિયો ઉપરાંત લઘુમતી બાબતોના મંત્રાલયનો હવાલો સોંપવામાં આવ્યો છે. જ્યારે RCP સિંહ પાસે રહેલું જ્યોતિરાદિત્ય સિંધિયાને તેમના વર્તમાન ખાતા ઉપરાંત વધારાનો સ્ટીલ મંત્રાલયનો હવાલો સોંપવામાં આવ્યો છે
મોદી કેબિનેટમાંથી રાજીનામું આપતા પહેલા નકવીએ દિલ્હીમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી અને તે પછી તેમણે વિધિવત રીતે મંત્રીમંડળમાંથી રાજીનામાની જાહેરાત કરી હતી. બિહારમાંથી જેડીયુ ક્વોટાના મંત્રી આરસીપી સિંહે પણ કેન્દ્રીય મંત્રીમંડળમાંથી રાજીનામું આપી દીધું છે.