મુખ્ય સમાચાર
News of Friday, 6th July 2018

બે દિવસ બંધ રહ્યાં બાદ પહેલગામ માર્ગ પરથી અમરનાથ યાત્રા ફરી શરુ

બાલતાલ માર્ગથી સતત ત્રીજા દિવસે પણ યાત્રા સ્થગિત

જમ્મુ -જમ્મુ કાશ્મીરમાં કરોડો લોકોના આસ્થાના પ્રતીક સમી અમરનાથ યાત્રા ફરીવાર શરુ થઇ છે ભૂસ્ખલનની ઘટનાઓને કારણે બે દિવસ બંધ રહ્યા બાદ પહેલગામ માર્ગ પરથી અમરનાથ યાત્રા ફરી એકવાર શરુ કરી દેવામાં આવી છે.

 જ્યારે બાલતાલ માર્ગથી સતત ત્રીજા દિવસે પણ અમરનાથ યાત્રા સ્થગિત છે અત્રે ઉલ્લેખનીય છે કે અમરનાથ યાત્રાના માર્ગમાં આવતા સ્થળોએ ભારે વરસાદ અને અનેક જગ્યાઓ પર ભૂસ્ખલન અને ભેખડ ધસી પડવાને કારણે બુધવારથી યાત્રા સ્થગિત કરવામાં આવી હતી

(11:27 pm IST)