News of Thursday, 6th May 2021
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પછીની હિંસામાં ૧૬ ના જીવ ગયા: બે લાખની સહાય જાહેર કરતા મમતા: ગૃહ ખાતાએ રાજ્યપાલ પાસે કાયદો-વ્યવસ્થાની સ્થિતિ અંગે અહેવાલ મગાવ્યો
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પછીની હિંસામાં અત્યાર સુધીમાં ૧૬ લોકોના મોત થયા છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું છે કે મૃત્યુ પામેલાના પરિવારને બે લાખ રૂપિયાની રાજ્ય સરકારે સહાય જાહેર કરી છે.
દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રાલએ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ પાસે રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે અહેવાલ માગ્યો છે.
(6:45 pm IST)