News of Monday, 6th April 2020
કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એચ. ડી. કુમારસ્વામીના પુત્રના લગ્ન સાદાઇથી થશે
બેંગલુરૂઃ કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એમ. ડી. કુમારસ્વામીએ સોમવારના કહ્યું કે કોવિડ-૧૯ના પ્રકોપને કારણે એમના પુત્ર નીખીલના લગ્ન ૧૭ એપ્રીલના નજીકના પારિવારિક સભ્યોની હાજરીમાં સાદાઇથી થશે. નીખીલની સગાઇ પૂર્વ મંત્રી એવમ કોંગ્રેસી ધારાસભ્ય કૃષ્ણપાની પૌત્રી રેવતી સાથે થઇ હતી.
બંને પરિવારોએ રામનગરના જનપડા લોક પાસે એક ભવ્ય લગ્ન સમારોહ કરવાનો નિર્ણય કર્યો હતો. અને લગ્નની રસમ ઘરેજ પરિવારના ૧પ-ર૦ સભ્યોની ઉપસ્થિતિમાં કરવાનો નિર્ણય કર્યો છે. ૧૭ એપ્રીલ એક શુભ દિવસ છે અમે એને સ્થગિત કરવા નથી માંગતા.
(11:01 pm IST)