એન્ટાલીયા કેસ : કાર માલીકના મોતથી નવો વળાંક
કેસની તપાસ એનઆઇએને સોંપવા વિરોધ પક્ષ નેતા ફડણવીસની માંગ
મુંબઇ,તા.૬: મુકેશ અંબાણીના ઘર એન્ટાલીયા પાસે વિસ્ફોટક ભરેલી કારના માલીક મનસુખ હીરેનની શંકાસ્પદ હાલતમાં મોતને પોલીસ આત્મહત્યા માની રહી છે. પોલીસે જણાવેલ કે હિરેને બ્રીજથી કુદીને આત્મહત્યા કરેલ.
મનસુખ હીરેને જણાવેલ કે તેની કાર ચોરી થઇ ગઇ હતી. જેની ફરિયાદ પણ નોંધાવેલ. એસયુવીમાંથી ૨૦ જીલેટીન સ્ટીક મળી આવેલ. આસપાસ સીસીટીવી ફુટેજ ચેક કરતા કાર મુકનારની ઓળખ મેળવવા પણ પ્રયાસ થયેલ માસ્ક પહેરેલ હોવાથી તે શકય ન બનેલ.
વિરોધ પક્ષના નેતા ફડણવીસે ગઇ કાલે વિધાનસભામાં આ કેસની તપાસ એનઆઇએ પાસે કરાવવા માંગ કરતા આરોપ લગાડેલ કે આ ઘટનાના તપાસ અધિકારી સચીન વાઝ અને હિરેન ઘણા સમયથી સંપર્કમાં હતા. તેમને મીડીયા સાથેની વાર્તાચીતમાં પણ જણાવેલ કે દાળમાં કાળુ લાગુ રહ્યું છે. જેની ગાડી હતી તે સૌથી મોટો ગવાહ હતો. આવી વ્યકિતની તપાસ દરમિયાન મોત શંકા ઉપજાવનારી છે.