News of Saturday, 6th March 2021
૪પ દિવસ સુધી દારૂ ન પીવો જોઇએ
કોરોના રસી મુકાવ્યા પછી ધ્યાનમાં રાખવા જેવી બાબતો
જીવનમાં દરેક વસ્તુની જેમ કોરોના રસી માટે પણ કંડીશન્સ એપ્લાઇડ જેવી કેટલીક બાબતો છે જે ધ્યાનમાં લેવી જરૂરી છે. અન્ય કેટલીક સાઇડ ઇફેકટોની સાથે ''ડુ'' અને 'ડોન્ટ'' નું એક લીસ્ટ છે જે રસી લીધા પછી મગજમાં રાખવું જોઇએ. જેમકે સીવીયર એલર્જીની તકલીફ હોય તો તમારે રસી ન લેવી જોઇએ. આ ઉપરાંત તમારૂ રસીકરણ થયા પછી પણ માસ્ક પહેરવાનું બંધ ન કરવું જોઇએ અને સોશ્યલ ડીસ્ટન્સ જાળવવું જોઇએ કેમકે તમે કોરોનાના વાહક હોઇ શકો છો અને અન્ય લોકોને સંક્રમિત કરી શકો છો. અન્ય એક બાબત છે જે ઘણાને લાગુ પડી શકે તેમ છે તે રસી મુકાવ્યા પછી ૪પ દિવસ સુધી આલ્કોહોલ ન પીવો તે છે.
(1:15 pm IST)