મુખ્ય સમાચાર
News of Saturday, 6th February 2021

કોરોના વેક્સિન અપાયા પછી ૨૨ ના મૃત્યુ થયા છે: જો કે કોરોનાને લીધે નથી થયા: હેલ્થ તંત્ર

આરોગ્ય મંત્રાલયના કહેવા પ્રમાણે શુક્રવાર સુધીમાં દેશમાં કોવિડ 19 મહામારી સામે રક્ષણ મેળવવા વેકસીન લીધા પછી કુલ ૨૨ લોકોના મૃત્યુ થયા છે. જો કે એક પણ મૃત્યુ વેકસીનને લીધે થયાનું પ્રમાણિત થયું નથી. વેક્સિન મૂકાવ્યા પછી છેલ્લા ૨૪ કલાકમાં એક મૃત્યુ નોંધાયું હોવાનું આરોગ્યના એડિશનલ સેક્રેટરી મનોહર અગ્નાનીએ જણાવ્યું છે, વધુમાં કહેલ  કે આજ સુધીમાં કુલ ૫૨.૯૦ લાખ લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી છે.

(12:47 am IST)