મુખ્ય સમાચાર
News of Sunday, 5th December 2021

ભારતમાં 24 કલાકમાં 8,895 નવા કેસ નોંધાયા જયારે 2796 લોકોના મોત થયા

-24 કલાકમાં 6,918 લોકો કોરોનામાંથી સાજા થયા છે: કોરોનામાંથી સાજા થનારા લોકોની કુલ સંખ્યા વધીને 3,40,60,774 થઈ ગઈ છે.

 

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 8,895 કેસ નોંધાયા છે. દેશમાં એક દિવસ પહેલાની સરખામણીએ દૈનિક કેસોની સંખ્યામાં વધારો થયો છે. ગઈકાલે 8,603 કેસ નોંધાયા હતા. આ સાથે દેશમાં કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્યા પણ ગત દિવસની સરખામણીએ ઓછી રહી છે. છેલ્લા 24 કલાકમાં 6,918 લોકો કોરોનામાંથી સાજા થયા છે. આના કારણે, કોરોનામાંથી સાજા થનારા લોકોની કુલ સંખ્યા વધીને 3,40,60,774 થઈ ગઈ છે.

આ ઉપરાંત દેશમાં મૃત્યુને લઈને જે માહિતી સામે આવી છે તે ખૂબ જ ચોંકાવનારી છે. દેશમાં કોરોનાના કારણે મૃત્યુઆંક 2,796 નોંધાયો છે. આમાં બિહારે મૃત્યુના બેકલોગનો આંકડો સામેલ કરવામાં છે. બિહારમાં અગાઉ કોરોનાના કારણે મૃત્યુ પામેલા 2,426 લોકોના આંકડા આજે સામેલ કરવામાં આવ્યા હતા.

આ સાથે જ કેટલાક દિવસોથી એક્ટિવ કેસ 99 હજારથી એક લાખની વચ્ચે રહ્યા છે. હવે દેશમાં સક્રિય કેસ વધીને 99,155 થઈ ગયા છે, જે કુલ કેસના એક ટકા કરતા પણ ઓછા છે. હાલમાં તે 0.29 ટકા છે અને 2020 પછી સૌથી નીચો છે.

(3:50 pm IST)