કંગનાએ તામિળનાડુના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. જયલલિતાને આપી શ્રદ્ધાંજલિ: ફિલ્મ થલાઇવીના સેટ પરથી કેટલીક તસવીર શૅર કરી
મુંબઈ : બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત આજકાલ ખૂબ ચર્ચામાં રહે છે અને ખેડૂત આંદોલનને લઇને કરેલી ટ્વિટ બાદ લોકો સાથે તે વિવાદમાં ઉતરી છે. આ વિવાદ વચ્ચે તેણે ફિલ્મ થલાઇવીના સેટ પરથી કેટલીક તસવીર શૅર કરી હતી જે સોશ્યલ મિડીયા પર વાયરલ થઇ રહી છે. આ તસવીરો થકી તેણે તામિળનાડુના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. જયલલિતાને શ્રદ્ધાંજલિ આપી છે
કંગનાએ તસવીરો શૅર કરી છે જેમાં તે જય લલિતાના પાત્રમાં છે અને આ તસવીરોમાં તે વિધાનસભામાં ચાલી રહી છે, તેના હાથમાં ફાઇલ છે અને બે લોકો તેની પાછળ ચાલી રહ્યાં છે.
તો બીજી તસવીરમાં તે કોઇ મિટીંગ માટે ઉભી છે અને બાકીના લોકો કંઇક વિચારી રહ્યાં હોય તેવી સ્થિતિમાં છે. આ સિવાય તે સ્કૂલમાં મિડ ડે મીલ દરમિયાન પહોંચી છે તેવી તસવીર છે
કંગનાએ તસવીરો શૅર કરીને લખ્યું, જયા અમ્માની પુણ્યતિથી પર અમારી ફિલ્મ થલાઇવી-ધ રિવોલ્યુશનરી લીડરથી કેટલીક તસવીરો શૅર કરી રહી છું.
જયલલિતા 5 ડિસેમ્બર 2016ના રોજ આ દુનિયાને અલવિદા કહી દીધુ હતુ. જયલલિતાએ પોતાના કરિયરની શરૂઆત તમિળ ફિલ્મોથી કરી હતી અને બાદમાં તે રાજનીતિમાં આવી ગયા હતા. જયલલિતા તમિળનાડુની 5 વાર મુખ્યમંત્રી રહી ચૂક્યા છે.