News of Thursday, 5th December 2019
ઉજજૈન કુંભ માટે રૂ. ૧ર કરોડની ટાંકી ખરીદીમા ગોટાળાને લઇ બીજેપી સાંસદ પર કેસ
લગભગ ત્રણ વર્ષ પહેલા ઉજૈન ( મધ્યપ્રદેશ) માં થયેલ કુંભ મેળા માટે રૂ. ૧ર કરોડની ટાંકીઓ ખરીદવામંા થયેલ ગોટાળાના આરોપમાં સરકારી એન્જીનીયરથી રતલામના બીજેપી સાંસદ બનેલ જી.એસ. ડામોર પર કેસ દાખલ થયો છે.
ડામોરએ પોતાને નિર્દોષ બતાવતા કહ્યું તપાસ પછી દુધનુ દુધ અને પાણીનું પાણી થઇ જશે. મધ્યપ્રદેશની પોલીસની આર્થિક અપરાધ શાખા મામલાની તપાસ કરી રહી છે. ડામોરએ કહ્યું મારા વિરૂદ્ધ કરવામાં આવેલ ફરિયાદ રાજનીતિથી પ્રેરિત છે.
(11:29 pm IST)