મુખ્ય સમાચાર
News of Saturday, 5th October 2019

પૂ.મોરારીબાપુના વ્યાસાસને સાંજે ઉતરપ્રદેશના ગોરખપુરમાં શ્રી રામકથાનો પ્રારંભ

આજે સાંજે ઉત્તરપ્રદેશના ગોરખપુર ખાતે પૂ. મોરારીબાપુના વ્યાસાસને શ્રીરામકથાનો પ્રારંભ થશે. આજે સાંજે ૪ વાગ્યે પૂ. મોરારીબાપુ પ્રથમ દિવસે પૂ. મોરારીબાપુ સાંજના ૭ વાગ્યા સુધી શ્રી રામકથાનું રસપાન કરાવશે.

જ્યારે કાલે તા. ૬ને રવિવારથી તા. ૧૩ ઓકટોબર સુધી દરરોજ સવારે ૯:૩૦ થી ૧:૩૦ વાગ્યા સુધી શ્રી રામકથાનુ રસપાન કરાવશે.

શ્રી રામકથાનું આસ્થા ચેનલ ઉપરથી લાઇવ પ્રસારણ થશે.

(11:39 am IST)