News of Saturday, 5th October 2019
ઇરાકમાં સરકાર વિરોધી પ્રદર્શન દરમ્યાન હિંસામાં ૩૪ લોકોના મોતઃ ૧પ૦૦ ઘાયલ થયા
ઇરાકમાં બેરોજગારી, સેવાઓની કમી અને ભ્રષ્ટાચાર જેવા મુદા પર સરકાર વિરોધી પ્રદર્શન દરમ્યાન હિંસામાં ૩ સુરક્ષા અધિકારીઓ સહિત ૩૪ લોકોના મોત થયા અને ૧પ૦૦ લોકો ઘાયલ થયા છે.
રાજધાની બગદાદ સહિત ૪ શહેરોમાં કફર્યુ લગાવવામા આવ્યો છે પ્રધાનમંત્રી આદિલ અબ્દૂલ મેહદીએ ગુરુવારના પરિસ્થિતિને ધ્યાનમાં રાખી આપાતકાલિન બેઠક પણ કરી હતી.
જયાં સુધી સરકાર પડી નહી જાય પ્રદર્શન ચાલુ રહેશે. એમ પ્રદર્શનકારીઓનું કહેવું છે. છેલ્લા ૩ દિવસથી લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
(12:00 am IST)