મુખ્ય સમાચાર
News of Wednesday, 5th September 2018

ઉત્તરપ્રદેશ પુર : છ જિલ્લામાં સ્થિતી હજુ ખુબ જ ચિંતાજનક

મોનસુન વધારે ૧૦ દિવસ સુધી સક્રિય રહે તેવી આગાહી થઇ : ૧૬ જિલ્લાઓમાં પુરનો ખતરો : છ જિલ્લામાં પુર : છેલ્લા ૨૪ કલાકમાં જ ૧૮થી વધુના મોત થયા

લખનૌ, તા. ૫ : ઉત્તરપ્રદેશના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદના પરિણામ સ્વરુપે પુરની સ્થિતિ સર્જાઈ ગઇ છે. મંગળવારથી અવિરત વરસાદ જારી રહેવાના કારણે હાલત કફોડી બનેલી છે. છેલ્લા ૨૪ કલાકમાં જ વરસાદ અને વીજળી પડવાના કારણે વધુ ૧૮ લોકોના મોત થઇ ગયા છે. રાજ્યમાં વરસાદ અને વીજળી પડવા સાથે સંબંધિત બનાવોમાં હજુ સુધી ૨૨૫થી વધારે લોકોના મોત થઇ ચુક્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં જે ૧૨ લોકોના મોત થયા છે તે પૈકી ગોન્ડામાં ત્રણ, કુશીનગરમાં ત્રણ, મિરઝાપુરમાં બે, બહરાઇચમાં એક, સીતાપુરમાં એક, મેરઠમાં એક અને એટામાં એક વ્યક્તિનુ મોત થયુ છે. હવામાન વિભાગે આગાહી કરતા કહ્યુ છે કે આ વખતે વધુ ૧૦ દિવસ સુધી મોનસુન સક્રિય રહી શકે છે. આંકડા મુજબ આ વખતે ઉત્તરપ્રદેશમાં ૨૩થી ૨૯ ઓગષ્ટ વચ્ચે ભારે વરસાદ થયો છે. હજુ વરસાદના કારણે પરેશાની વધી શકે છે. પહાડી વિસ્તારમાં ભારે વરસાદના કારણે ગંગા, ઘાઘરા અને રાપ્તી જેવી નદીઓમાં પાણીની સપાટીમાં વધારો થયો છે. પાણીની સપાટી ભયજનક સ્તરથી ઉપર પહોંચી ચુકી છે.  કેરળ બાદ હવે ઉત્તરપ્રદેશમાં હાલત કફોડી બનેલી છે. ઉત્તરપ્રદેશમાં ભારે વરસાદની સાથે સાથે ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદ થઇ રહ્યો છે. મોનસુનના પરિણામ સ્વરુપે દેશના કેટલાક ભાગોમાં પુર જેવી સ્થિતિ સર્જાયેલી છે. ઉત્તરપ્રદેશમાં જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. ઉત્તરપ્રદેશમાં હાલત ખુબ જ કફોડી બનેલી છે. વરસાદના પરિણામ સ્વરુપે અનેક જિલ્લાઓમાં કાચા મકાનો ધરાશાયી થઇ ગયા છે. ગુરુવારથી સતત ધોધમાર વરસાદ પડી રહ્યો છે જેના પરિણામ સ્વરુપે મોટાભાગની નદીઓમાં પાણીની સપાટી ભયજનક સ્તરથી ઉપર પહોંચી ગઈ છે. પુરના કારણે કેટલાક જિલ્લામાં હાલત કફોડી બનેલી છે. ગામોને ખાલી કરાવવામાં આવી રહ્યા છે. હજારો લોકોને સુરક્ષિત સ્થળો ઉપર જતાં રહેવાની ફરજ પડી છે. હવામાન વિભાગે ચેતવણી આપતા કહ્યું છે કે, હજુ ભારે વરસાદ ઇ શકે છે. ઉન્નાવ નદીમાં ગંગા નદી ખતરાના સ્તરથી ઉપર પહોંચી ગઈ છે. સદર કોતવાલી વિસ્તારમાં ગંગાઘાટ વિસ્તારમાં ઇન્દિરાનગર, રવિદાસ નગર, ચંપાપૂર્વા, કરબલા અને આસપાસના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. આ તમામ વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસથી બચાવ કામગીરી માટે નૌકાઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સદર તાલુકાના મજરામાં પુરની સ્થિતિ સર્જાઈ ગઈ છે. કેટલાક વિસ્તારો સંપર્કવિહોણા પણ થઇ ગયા છે. બારાબંકી જિલ્લામાં પુર પ્રભાવિત વિસ્તારોમાં હાલત કફોડી બનેલી છે. સુરતગંજ, રામનગર, શિરોલી ગોસપુર સહિતના વિસ્તારોમાં હાલત કફોડી બનેલી છે. મળેલી માહિી મુજબ બહરાઈચ, ગોંડા, બારાબંકી, સિતાપુર, લખીમપુર-ખિરી, હરદોઈ, ફરુખાબાદ, સુલ્તાનપુર, ફૈઝાબાદ, અયોધ્યા સહિત કેટલાક જિલ્લામાં પુરના કારણે હાલત કફોડી બનેલી છે. પ્રદેશના મોટાભાગના વિસ્તારોમાં ગુરુવારે સવારથી જ ભારે વરસાદ થઇ રહ્યો છે. મોટાભાગના વિસ્તારોમાં હાલત કફોડી બનેલી છે. મોટાભાગના વિસ્તારોમાં વરસાદને લઇને જનજીવન પણ ખોરવાઈ ગયું છે. પાટનગર લખનૌ સહિત સીતાપુર, હરદોઈ, ગોંડા, અયોધ્યા, ફૈઝાબાદ, કાનપુરમાં ભારે વરસાદ થઇ રહ્યો છે. ભારે વરસાદના લીધે માર્ગો પણ તળાવોમાં ફેરવાઈ ગયા છે. નદીઓમાં પુરની સ્થિતિ સર્જાઈ ગઈ છે. લખીમપુર-ખીરીમાં પલિયાકલા નદીમાં શારદા નદીમા૩ં પાણીની સપાટી ભયજનક સ્તરથી એક મીટર ૮૦ સેન્ટીમીટર ઉપર પહોંચી ગઈ છે જ્યારે ખાખરા નદી અયોધ્યામાં ભયજનક સ્તરથી ૪૦ સેન્ટીમીટર ઉપર પહોંચી ગઈ છે. બારાબંકીના એલ્વિન બ્રિજ ઉપર પાણીની સપાટી ભયજનક સ્તરથી ઉપર પહોંચી છે. ગોંડાના ચંદ્રીદીપઘાટ ઉપર પાણીની સપાટી વધી ગઈ છે. કાનપુર ગ્રામીણ વિસ્તારમાં પણ હાલત કફોડી બનેલી છે.

 

(12:33 pm IST)