મુખ્ય સમાચાર
News of Thursday, 5th August 2021

કેરળમાં કોરોનાના વધતા કહેરથી દેશમાં નવા 42.762 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 41.814 દર્દીઓ રિકવર થયા : વધુ 532 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 4.26.321 થયો :એક્ટીવ કેસ 4.04.668 થયા : કુલ કેસની સંખ્યા 3.18.10.747 થઇ

સૌથી વધુ કેરળમાં 22.414 કેસ, મહારાષ્ટ્ર્રમાં 6126 કેસ, આંધ્રપ્રદેશમાં 2442 કેસ, તામિલનાડુમાં 1949 કેસ,કર્ણાટકમાં 1769 કેસ,ઓરિસ્સામાં 1315 કેસ. આસામમાં 1065 કેસ નોંધાયા

નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી . દરરોજ લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા છેલ્લા કેટલાય દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે  ત્યારે છેલ્લા કેટલાય દિવસોથી કેરળમાં કોરોનાનો કહેર વધ્યો છે આજે દેશમાં કોરોનાનાં નવા 42.762 કેસ નોંધાયા છે. જ્યારે 41.814 દર્દીઓ રિકવર થયા છે

 દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં 42.762 નવા કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 532 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4.26.321 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 42.762 નવા કેસ નોંધાતા  કુલ કેસની સંખ્યા 3.18.10.747 થઇ છે  એક્ટિવ સંખ્યા 4.04.668 થઇ છે છેલ્લા 24 કલાકમાં 41.814 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ 3.09.67.168 લોકોએ કોરોનાને મહાત આપી છે

દેશમાં સૌથી વધુ કેરળમાં 22.414 કેસ, મહારાષ્ટ્ર્રમાં 6126 કેસ, આંધ્રપ્રદેશમાં 2442 કેસ, તામિલનાડુમાં 1949 કેસ,કર્ણાટકમાં 1769 કેસ,ઓરિસ્સામાં 1315 કેસ. આસામમાં 1065 કેસ નોંધાયા છે

(9:34 am IST)