News of Sunday, 5th July 2020
જમ્મુ કાશ્મીરના પુલવામાં આતંકીઓએ સી.આર.પી.એફ. જવાનોના કાફલાને ટાર્ગેટ કરી વિસ્ફોટ કરતા એક જવાન ઇજાગ્રસ્ત થતા સારવાર અપાઇ
સુરક્ષા જવાનોએ ઘટના સ્થળે દોડી જઇ વિસ્ફોટની તપાસ આરંભી
પુલવામા: જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં આજે સવારે એક IED વિસ્ફોટ થયો છે. એવું કહેવાય છે કે આતંકીઓએ સીઆરપીએફના કાફલાને ટાર્ગેટ કરીને આ વિસ્ફોટ કર્યો. જેમાં એક CRPF જવાન ઘાયલ થયો છે જે સારવાર હેઠળ છે. સુરક્ષાદળો ઘટનાસ્થળે પહોંચી ગયા છે. વિસ્ફોટ કેવી રીતે થયો તેની તપાસ થઈ રહી છે.
મળતી માહિતી મુજબ પુલવામાના ગંગુ વિસ્તારમાં આ IED વિસ્ફોટ થયો સફરજનના બગીચામાં આ વિસ્ફોટ થયો. સીઆરપીએફના જણાવ્યાં પ્રમાણે તેમનો એક જવાન આ હુમલામાં ઘાયલ થયો છે.
(11:48 am IST)