News of Sunday, 5th July 2020
૧પ ઓગષ્ટના પીએમ કરી શકે કોરોના વેકસીનનું એલાન : આના માટે નિયમો અદૃશ્ય : સીતારામ યેચુરી
નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. કોરોના વાયરસના ખાત્મા માટે ઘણા દેશ વેકસીન તૈયાર કરવામાં લાગ્યા છે. આ વચ્ચે ભારત પણ કોરોના વાયરસની વેકસીનનું નિર્માણ કરી રહ્યું છે જે આ વર્ષના ઓગષ્ટમાં લોન્ચ થવાની સંભાવના છે જો કે આ વેકસીન જે જલ્દી લોન્ચ કરવા પર સવાલ ઉભા થઇ રહ્યા છે.
માકર્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટી (સપીએમ)ના મહાસચિવ સીતારામ યેચુરીએ કહ્યું કે મહામારી ને રોકવા માટે વેકસીન સોથી વધુ નિર્ણટ કરહે. વિશ્વ એક સુરક્ષિત વેકસીનનો ઇંતજાર કરી રહ્યું છે. જે દુનિયાભરમાં ઉપલબ્ધ હોય.
(12:00 am IST)