News of Friday, 5th July 2019
બજેટથી મોંધવારી, ગરીબી, બેરોજગારી, ખેડૂત અને ગ્રામીણ સમસ્યા વધારે જટિલ બનશેઃ માયાવતીની પ્રતિક્રિયા
બસપા પ્રમુખ માયાવતીઅ બજેટ ર૦૧૯-ર૦ પર પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે આ બજેટથી દલિતો અને પછાતોના આરક્ષણની નહી પણ મોંધવારી, ગરીબી, બેરોજગારી, ખેડૂત અને ગ્રામીણ સમસ્યા વધારે જટિલ બનશે.
એમણે કહ્યું કે આ બજેટ પ્રાઇવેટ સેકટરને આગળ વધારવા થોડા મોટા મોટા પુંજીપતિઓ અને ધનાઢય શેઠોને જ દરેક પ્રકારની મદદ કરવાવાળું છે.
(11:28 pm IST)