મુખ્ય સમાચાર
News of Friday, 5th June 2020

આખરે કોંગ્રેસને ઇન્દ્રનીલ યાદ આવ્યા : ધારાસભ્યોને રહેવાની વ્યવસ્થા કરવા પરેશ ધાનાણીનું કહેણ : સૌરાષ્ટ્રના કોંગી ધારાસભ્યોનો નીલસીટીમાં મુકામ

કોંગીના પૂર્વ ધારાસભ્ય ઈંદ્રનીલભાઈએ અકિલાને જણાવ્યું હું સદાય કોંગ્રેસ માટે કાર્ય કરવા તત્પર : જે કામ સોંપાશે તે કાર્ય પૂરું કરીશ

રાજકોટ :આખરે કોંગ્રેસને ઇન્દ્રનીલ રાજ્યગુરુ યાદ આવ્યા છે રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગી ધારાસભ્યોના રાજીનામાં પડતા કોંગ્રેસને પોતાના ધારાસભ્યોને સાચવવાની જવાબદારી પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુને શીરે આપી છે સૌરાષ્ટ્રના કોંગ્રેસના તમામ ધારાસભ્યોને ઈંદ્રનીલભાઈ રાજ્યગુરુની નીલસીટી ક્લબમાં રાખવામાં આવશે આજે મોડીરાત સુધીમાં તમામ ધારાસભ્યો ત્યાં પહોંચી જશે

 વિધાનસભા વિરોશ પક્ષના નેતા પરેશ ધાનાણીએ ઈંદ્રનીલભાઈ રાજ્યગુરૂને ધારાસભ્યો માટે રહેવાની વ્યવસ્થા કરવા કહેવાયું હતું જેનો ઈંદ્રનીલભાઈ રાજ્યગુરૂએ હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો

 સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના ધારાસભ્યોનો ધારાસભ્યોને ઇન્દ્રનીલ રાજ્યગુરૂના નીલસીટી ક્લબમાં મુકામ રાખવામાં આવશે વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ પણ ઈંદ્રનીલભાઈને ફોન કરીને ભલામણ કરતા આ વ્યવસ્થા થઇ છે

  દરમિયાન પૂર્વ ધારાસભ્યં ઇન્દ્રનીલ રાજ્યગુરુએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હું સદાય કોંગ્રેસ માટે કાર્ય કરવા તત્પર રહીશ, કોંગ્રેસ માટે હંમેશા અમારી ફરજ બજાવતો રહીશ કોંગ્રેસના કોઈપણ નેતા કે કાર્યકર માટે કામ કરવા મારા દરવાજા હંમેશા ખુલ્લા રહેશે જે કોઈ કામ સોંપાશે તે કર્યા પૂરું કરીશ

(8:57 pm IST)