મુખ્ય સમાચાર
News of Tuesday, 5th June 2018

મુગલસરાઈ જંકશન હવે પંડિત દીનદયાલ ઉપાધ્યાય જંકશન તરીકે ઓળખાશે

મોદી સરકારે સત્તામાં આવ્યા બાદ કેટલાંય સ્થળો અને યોજનાના નામ બદલી નાખ્યાં છે. જેમાંની મોટા ભાગની યોજનાનાં નામ પંડિત દીનદયાળ ઉપાધ્યાયના નામે રાખવામાં આવી છે. ઉત્તર પ્રદેશમાં મોદી સરકારે ચંદૌલી જિલ્લાના મુગલસરાઈ રેલવે સ્ટેશનનું નામ બદલીને હવે પંડિત દીનદયાળ ઉપાધ્યાય રેલવે સ્ટેશન કર્યું છે. રેલવે પ્રધાન પીયૂષ ગોયલે ટ્વિટ કરીને આ અંગેની જાણકારી આપી હતી.

(2:21 pm IST)