મુખ્ય સમાચાર
News of Wednesday, 5th May 2021

ભારતમાં એક મહિના પછી કોરોનાથી મૃત્યુઆંક 4 લાખને પાર પહોંચશે : IISc અને વોશિંગ્ટન યૂનિ.નું ડરામણું તારણ

15 દિવસનું લોકડાઉન લગાવે મૃત્યુઆંક ત્રણ લાખથી નીચે અને 30 દિવસનું લોકડાઉનથી મરનારાઓની સંખ્યાને 285000 સુધી રોકી શકાય: જૂન-જૂલાઇમાં સ્થિતિ થશે ભયાનક

નવી દિલ્હી :કોરોનાથી સંબંધિત વર્તમાન સ્થિતિમાં કોઈ સુધાર આવતો નથી તો આવનારા સપ્તાહોમાં કોરોનાથી મરનારાઓની સંખ્યા બેગણી થઈ જશે. આ અનુમાન ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સ, બેંગ્લોરની એક ટીમે લગાવ્યો છે.

પહેલાથી જ જ્યારે સતત 12 દિવસથી કોરોનાના ત્રણ લાખથી વધારે કેસ આવી રહ્યાં છે અને પાછલા 24 કલાકમાં 3780 લોકોના મોત થયા છે ત્યાર ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સ, બેંગ્લોરની ટીમે એક મેથમેટિકલ મોડલનો પ્રયોગ કરતાં તે અનુમાન લગાવ્યો છે કે, જો સ્થિતિ આવી જ રહેશે તો 11 જૂન સુધી મરનારાઓની સંખ્યા 4,04,000 સુધી થઈ શકે છે.

તેમના અનુસાર જો સરકાર 15 દિવસનું લોકડાઉન લગાવે છે તો 11 જૂન સુધી મરનારા લોકોની સંખ્યા ત્રણ લાખથી નીચે રહી શકે છે, જ્યારે 30 દિવસનું લોકડાઉનથી મરનારાઓની સંખ્યાને 285000 સુધી રોકી શકાય છે.

આવી જ રીતે મેથમેટિકલ મોડલનો પ્રયોગ કરતાં યૂનિવર્સિટી ઓફ વોશિંગ્ટનના ઈન્સ્ટીટ્યુટ ફોર હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઈવેલ્યૂએશન (IHME)એ દાવો કર્યો છે કે, જૂલાઈના અંત સુધી ભારત 10,18,879 લોકો કોરનાથી જીવ ગુમાવી દેશે.

જો ભારતમાં બધા લોકો માસ્ક લગાવે (યૂનિવર્સલ માસ્ક) ત્યારે જૂલાઈના અંત સુધી મરનારાઓની સંખ્યાને 940,000 સુધી રોકી શકાય છે.

બ્રાઉન યૂનિવર્સિટી શાળા ઓફ પબ્લિક હેલ્થના ડીન આશીષ ઝાએ કહ્યું કે, “આવનારા ચાર-છ સપ્તાહ ખુબ જ કઠિન થવાના છે. હવે પડકારપૂર્ણ તે થશે કે, આ કઠિન સમયે 4 સપ્તાહ સુધી બાંધીને રાખવામાં આવે, તે 6-8 સપ્તાહ સુધી ના ખેંચવામાં આવે. ભારત હાલમાં ગમે તેમ કરીને પણ સંકટમાંથી બહાર નિકળતું દેખાઈ રહ્યું નથી.”

WHO 5%થી વધારે કોરોના ટેસ્ટ પોઝિટિવિટી રેટને વધારે માને છે અને સરકારને ત્યાર સુધી સોશિયલ ડિસ્ટન્સિંગ સુનિશ્ચિત કરવાના સલાહ આપે છે કે, જ્યાર સુધી પોઝિટિવિટી રેટ સતત 2 સપ્તાહ સુધી 5 ટકા નીચે ના આવી જાય. પરંતુ વર્તમાનમાં આખા ભારતના સ્તર પર પોઝિટિવિટી રેટ 20 ટકા છે અને કેટલાક ક્ષેતોરમાં તે 40 ટકા સુધી દર્શાવે છે કે, આપણે હજુંપણ કુલ સંક્રમિત લોકોના લગભગ ત્રણ ચોથાઈ ભાગના હિસ્સાની તપાસ કરી નથી.

(11:56 pm IST)