હવે શિક્ષણક્ષેત્રે આમૂલ પરિવર્તન :સરકાર બનાવશે ન્યુ હાયર એજ્યુકેશન ઓથોરિટી: UGC, AICTE, NCTE બનશે ભૂતકાળ
દેશભરમાં ઉચ્ચ શિક્ષાને માટે બનેલ આયોગ અને પરિષદ હવે ખતમ થઇ જશે.
નવી દિલ્હી :કેન્દ્ર સરકાર શિક્ષણ ક્ષેત્રે આમૂલ પરિવર્તન કરવા જઈ રહી છે વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ (યૂજીસી), અખિલ ભારતીય ટેક્નિકી શિક્ષા પરિષદ (એઆઇસીટીઇ) અને નેશનલ કાઉન્સીલ ફોર ટેક્નિકલ એજ્યુકેશન (એનસીટીઇ) હવે ટૂંક સમયમાં જ ભૂતકાળ બની જશે. આ સંસ્થાઓને ખતમ કરીને સરકાર એક નવી જ હાયર એજ્યુકેશન ઓથોરિટી બનાવશે આ નવી ઓથોરિટીનું ગઠન 2019ની સામાન્ય ચૂંટણી પહેલાં થઇ જશે.તેમ મનાય છે
અહેવાલ મુજબ કેન્દ્ર સરકારે આને માટે એક નવું જ બિલ તૈયાર કરી લીધું છે. હાયર એજ્યુકેશન રેગ્યૂલેટરી કાઉન્સીલ (એચઇઆરસી) નામથી તૈયાર આ બિલનાં કાયદા બની ગયા બાદ દેશભરમાં ઉચ્ચ શિક્ષાને માટે બનેલ આયોગ અને પરિષદ હવે ખતમ થઇ જશે.
આ દેશમાં હાજર દરેક વિશ્વવિદ્યાલયો અને સંસ્થાનો માટે એક ગાઇડની જેમ કામ કરશે.સાથે જ નવા કોર્સ વિશે દરેકને સૂચન પણ આપશે.જો કે આ ઓથોરિટી પાસે કોઇ પણ વિશ્વવિદ્યાલય અથવા પછી ટેક્નિકી સંસ્થાનને ગ્રાન્ટ નહીં આપી શકે. ગ્રાન્ટ માટે રેગ્યુલેટર માત્ર એચઆરડી મંત્રાલયને ભલામણ કરી શકશે. આ ડ્રોફ્ટ બિલને માનવ સંસાધન મંત્રાલયે તૈયાર કરી લીધેલ છે અને પીએમઓમાં ઘણી ઝીણવટથી જોવામાં આવેલ છે.