News of Monday, 5th April 2021
કાશ્મીરમાં કોરોનાએ ૬૦ વર્ષના ગુજરાતી ટુરિસ્ટનો જીવ લીધો: આ પહેલા મહારાષ્ટ્રના ટુરિસ્ટનું કોરોનામાં મૃત્યુ નીપજેલ
કાશ્મીરમાં આવેલા ગુજરાતના પર્યટકનું કોરોનાથી મોત કોરોનાથી થયું: અગાઉ પૂનાના એક પ્રવાસીએ દમ તોડી દીધો હતો:
કાશ્મીરમાં કોરોનાના વધતા જતા ભયને કારણે ડોકટરો અને પેરા મેડિકલ સ્ટાફની રજાઓ રદ કરાઈ: છેલ્લા કેટલાક દિવસોથી, કાશ્મીરમાં અચાનક કોરોના ચેપના કેસમાં વધારો થયો છે:
દરમિયાન ગુજરાતના ૬૦ વર્ષીય મહિલા ટુરિસ્ટનું આજે સોમવારે વહેલી સવારે શ્રીનગરની સી ડી હોસ્પિટલમાં નિધન થયું હતું. કોરોનાનાં લક્ષણો જોયા પછી તેનું પરીક્ષણ કરાયું. પોઝિટિવ હોવાનું જાણવા મળેલ.
રસપ્રદ વાત એ છે કે શ્રીનગર પહોંચ્યાના એક દિવસ પહેલા જ તેની એરપોર્ટ પર પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જે નેગેટિવ હતું. (સુરેશ એસ દુગ્ગર, જમ્મુ)
(6:17 pm IST)