મુખ્તાર અંસારીની એમ્બ્યુલન્સ ચાલતા-ફરતા કિલ્લા જેવી!!
લખનૌઃ રાજયસભાના સાંસદ અને રાજયના ભુતપુર્વ ડીજીપી બ્રીજલાલે કહયું કે માફીયા ડોન મુખ્તાર અંસારી દ્વારા ઉપયોગમાં લેવાતી એમ્બ્યુલન્સ ચાલતા ફરતા કિલ્લા જેવી છે. આ એમ્બ્યુલન્સ સંપુર્ણપણે બુલેટપ્રુફ છે. એક વખત હતો જયારે મુખ્તારના ગુંડાઓ હથીયારો સાથે ર૪ કલાક આ ગાડીમાં હાજર રહેતા હતા.
તેમણે કહયું કે જેલમાં કેદ કોઇ પણ આરોપીને ખાનગી એમ્બ્યુલન્સ વાપરવાની પરવાનગી નથી હોતી. તે બિમાર થાય તે સ્થિતિમાં જેલ દ્વારા માંગણી કરવાથી સીએમઓ દ્વારા એમ્બ્યુલન્સ ઉપલબ્ધ કરાવવાની વ્યવસ્થા છે. ભુતપુર્વ ડીજીપીએ કહયું કે મુલાયમસિંહ યાદવની સપા સરકારના શાસનકાળમાં મુખ્તારને સતાવાળાઓનું ખુલ્લુ સંરક્ષણ મળેલ હતું. તે પોતાની બુલેટપ્રુફ એમ્બ્યુલન્સની આગળ પાછળ વાહનોનો મોટો કાફલો લઇને ચાલતો હતો. મુખ્તાર ધારાસભ્ય કૃષ્ણાનંદ રાયની હત્યા માટે એલએમજી ખરીદવા ઇચ્છતો હતો કેમ કે કૃષ્ણાનંદ રાયની ગાડી બુલેટપ્રુફ હતી. આ ગાડી પર હુમલો કરવા માટે એલએમજી જ સક્ષમ હથીયાર હતું.