મુખ્ય સમાચાર
News of Friday, 5th March 2021

મુકેશ અંબાણીના ઘર એન્ટીલિયાની બહાર મળેલી શંકાસ્પદ સ્કોર્પિયો કારના માલિકનો મૃતદેહ મળ્યો

ગુજરાતી કાર માલિકે કલાવા ક્રીકમાં કુદીને આત્મહત્યા કરી

મુંબઇમાં બિઝનેસમેન મુકેશ અંબાણીના આલીશાન ઘર એન્ટીલિયાની બહાર મળેલી શંકાસ્પદ સ્કોર્પિયો કારના માલિક મનસુખ હિરેનનો મૃતદેહ મળ્યો છે, ગુજરાતી કાર માલિકે કલાવા ક્રીકમાં કુદીને આત્મહત્યા કરી છે.

બનાવની જાણ થતા જ નૌપાડા પોલીસ ઘટનાસ્થળે પહોચી હતી અને આ ઘટનાની તપાસ કરી રહી છે. પોલીસનું કહેવુ છે કે આ કેસ આત્મહત્યા જેવો લાગી રહ્યો છે. જોકે, ઘટનાની તપાસ ચાલી રહી છે.

હિરેન મનસુખ તે વ્યક્તિ હતો, જેની સ્કોર્પિયો કારનો ઉપયોગ બિઝનેસમેન મુકેશ અંબાણીના ઘરની પાસે જિલેટિન લઇ જવા માટે કરવામાં આવ્યો હતો, તે કારમાં ધમકી ભરેલો પત્ર અને કેટલાહ વાહનોની નંબર પ્લેટ પણ મળી હતી.

કારમાંથી જિલેટીનની 20 લાકડી જપ્ત થઇ હતી, જેનો ઉપયોગ વિસ્ફોટ માટે કરવામાં આવે છે. સાથે જ એક પત્ર મળ્યો હતો જેમાં કહેવામાં આવ્યુ હતું કે આ માત્ર ટ્રેલર છે, નીતા ભાભી, મુકેશ ભઇના પરિવાર આ તો એક ઝલક છે. આવતી વખતે આ સામાન પુરી થઇને તમારી પાસે આવશે અને પુરી વ્યવસ્થા થઇ ગઇ છે.

તપાસ અધિકારીઓએ ખુલાસો કર્યો કે તે દિવસે રાત્રે 1 વાગ્યાની નજીક સ્કોર્પિયો કાર ત્યા ઉભી કરવામાં આવી હતી. ત્યા બે વાહન જોવા મળ્યા હતા, જેમાં સ્કોર્પિયો કાર સિવાય એક ઇનોવા પણ મળી હતી. સ્કોર્પિયો કારનો ડ્રાઇવર તેને ત્યા મુકીને જતો રહ્યો હતો. શંકાસ્પદ કારની સૂચના અંબાણીના ઘરની સુરક્ષામાં તૈનાત કર્મીઓએ સ્થાનિક પોલીસને આપી હતી.

(8:40 pm IST)