મુખ્ય સમાચાર
News of Friday, 5th March 2021

વૈષ્ણોદેવીની યાત્રાએ નિકળ્યા ૩ પોઝીટીવ દર્દીઃ ફરિયાદ

કોરોના ગાઇડલાઇનનું પાલન ન કરી

શામલીઃ ભયનો પર્યાય બની ગયેલ કોરોનાને લઇને ઘણી જગ્યાએ બેદરકારી રાખતા લોકો નજરે પડે છે. દર્દી વૈષ્ણોદેવીની યાત્રાએ જતા સ્વાસ્થ્ય વિભાગે ૩ લોકો વિરૂધ્ધ ફરિયાદ નોંધી છે.

શ્રી પાલ બિહાર કોલોનીમાં એક છાત્રાનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ તેના માતા-પિતા પણ સંક્રમીત મળેલ. સ્વાસ્થ્ય વિભાગે તેમને આઇસોલેટ રહેવા સલાહ આપેલ પણ તેઓ સલાહને અવગણી વૈષ્ણોદેવી યાત્રાએ જતા સ્વાસ્થ્ય વિભાગ કેન્દ્ર પ્રભારી ડો.ચંદ્રાએ ફરિયાદ નોંધાવેલ.

(4:35 pm IST)