મુખ્ય સમાચાર
News of Friday, 5th March 2021

મુંબઇની પ્રખ્યાત રેસ્ટોરન્ટના ૧૦ સ્ટાફ મેમ્બર કોરોના પોઝિટિવ

મહારાષ્ટ્રમાં સંક્રમણના ઉંચા ગ્રાફે ચિંતા વધારી : મુલાકાત લેનારા લોકોમાં ફેલાયો ભય

મુંબઇ તા. ૫ : દેશની આર્થિક રાજધાની મુંબઈમાં કોરોનાનો ગ્રાફ વઘી રહ્યો છે. હવે મુંબઈના ફેમસ રેસ્ટોરાના ૧૦ સ્ટાફ મેમ્બર કોરોના સંક્રમિત થયા છે. જે બાદ રેસ્ટોરાને બે દિવસ માટે બંધ કરવામાં આવી છે. આ સમાચાર બાદ લોકોના મનમાં સવાલો ઉભા થઈ રહ્યા છે કે રેસ્ટોરામાં જમવુ સુરક્ષિત છે કે નહિ.

BMCએ જણાવ્યું કે અંધેરી સ્થિત રાધાકૃષ્ણ રેસ્ટોરેન્ટના ૧૦ સ્ટાફનો રિપોર્ટ કોરોના પોઝિટીવ આવ્યો છે. ત્યાર બાદ આ રેસ્ટોરેન્ટને બે દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યું છે. રેસ્ટોરેન્ટમાં કુલ ૩૫ કર્મચારીઓ કાર્યરત છે.

બીએમસીએ જણાવ્યું કે સેનિટાઈઝેશન અને નવા કર્મચારીઓની નિમણૂક કર્યા બાદ રેસ્ટોરેન્ટ શરૂ કરવાની પરમીશન આપવામાં આવશે, ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા દિવસોથી મહારાષ્ટ્રના અલગ અલગ સ્થળોથી ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે.

(2:39 pm IST)