મુખ્ય સમાચાર
News of Sunday, 5th February 2023

સમાજના વિભાજનનો લાભ અન્ય લોકોએ લીધો અને તેથી જ દેશ પર હુમલો થયો:બહારથી આવેલ લોકોએ દેશમાં રાજ કર્યું :મોહન ભાગવત

આરએસએસ વડાએ કહ્યું કે દેશમાં અંતરાત્મા અને ચેતના બધા એક છે, તેમની વચ્ચે કોઈ તફાવત નથી. માત્ર અભિપ્રાય અલગ છે. અમે ધર્મ બદલવાનો પ્રયાસ કર્યો નથી

મુંબઈ :રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે કહ્યું છે કે સમાજના વિભાજનનો લાભ અન્ય લોકોએ લીધો અને તેથી જ દેશ પર હુમલો થયો. આ કારણોસર પણ બહારથી આવેલા લોકો આપણા દેશ પર રાજ કરતા હતા. મોહન ભાગવત સંત શિરોમણી રોહિદાસ જયંતિ પર એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે મુંબઈ પહોંચ્યા હતા.

 આ કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે પહોંચ્યા હતા. અહીં તેમણે કહ્યું, 'મને સંત રોહિદાસ પર બોલવાની તક મળી, તે મારું સૌભાગ્ય છે. સંત રોહિદાસ અને બાબાસાહેબે સમાજમાં સમરસતા સ્થાપવાનું કામ કર્યું. દેશ અને સમાજના વિકાસનો માર્ગ જેણે બતાવ્યો તે સંત રોહિદાસ હતા કારણ કે સમાજને મજબૂત કરવા અને આગળ લઈ જવા માટે જે પરંપરાની જરૂર હતી તે તેમણે આપી છે.

 

તેમણે કહ્યું કે શરૂઆતમાં દેશની જનતાએ પોતાનું મન દુવિધામાં મૂક્યું હતું. આના માટે કોઈ જવાબદાર નથી, જ્યારે સમાજમાં લગાવ સમાપ્ત થાય છે, ત્યારે જ સ્વાર્થ મોટો થાય છે. આપણ સમાજના વિભાજનનો લાભ બીજાએ લીધો, નહીંતર આપણી તરફ જોવાની કોઈની હિંમત નહોતી. જેનો બહારગામના લોકોએ લાભ લીધો હતો.

તેમણે વધુમાં કહ્યું કે, દેશમાં હિંદુ સમાજને બરબાદ થવાનો ડર દેખાઈ રહ્યો છે? કોઈ બ્રાહ્મણ તમને આ વાત કહી શકે નહીં. તમારે સમજવું પડશે. આપણી આજીવિકાનો અર્થ સમાજ પ્રત્યેની જવાબદારી પણ છે. જ્યારે દરેક કામ સમાજ માટે હોય છે, તો પછી કેટલાક ઊંચા, કેટલાક નીચા કે કેટલાક અલગ કેવી રીતે બન્યા? ભગવાન હંમેશા કહે છે કે મારા માટે બધા એક છે. તેમની વચ્ચે કોઈ જાતિ, વર્ણ નથી, પરંતુ પંડિતોએ એક શ્રેણી બનાવી, તે ખોટું હતું. આરએસએસ વડાએ કહ્યું કે દેશમાં અંતરાત્મા અને ચેતના બધા એક છે, તેમની વચ્ચે કોઈ તફાવત નથી. માત્ર અભિપ્રાય અલગ છે. અમે ધર્મ બદલવાનો પ્રયાસ કર્યો નથી. બાબાસાહેબ આંબેડકરે કહ્યું, ધર્મ બદલાય તો છોડી દો. પરિસ્થિતિને કેવી રીતે બદલવી તે જણાવવામાં આવ્યું છે.

(11:22 pm IST)