મુખ્ય સમાચાર
News of Tuesday, 5th January 2021

ભાજપા વિરૂધ્ધ દિલ્હીમાં ૨,૫૦૦ શેરી સભાઓ કરશે આપ

નવી દિલ્હી,તા. ૫: દિલ્હી નગર નિગમની ચુંટણીની તૈયારી કરી રહેલ આમ આદમી પાર્ટી દિલ્હીમાં ભાજપા વિરૂધ્ધ અભિયાન શરૂ કરવા જઇ રહી છે. આપ ભાજપાના કહેવાતા ૨,૫૦૦ કરોડ રૂપિયાના ભ્રષ્ટાચારને લોકો સમક્ષ લઇ જવા માટે સતાથી પંદર જાન્યુઆરી દરમ્યાન ૨,૫૦૦ શેરી સભાઓ કરશે. આ દરમ્યાન એમસીડીના ભ્રષ્ટાચાર પર ચર્ચા કરીને લોકોનો મત જાણશે. આપનો  દાવો છે કે આ સભાઓમાં બોલવા માટે લગભગ ૬૦૦ લોકોને પ્રશિક્ષિત કરાયા છે. શેરી સભાઓમાં લોકોનો ફીડબેક મેળવવામાં આવશે. આ દરમ્યાન આપના ધારાસભ્ય, કાર્યકર્તા, જીલ્લા પ્રભારી, લોકસભા પ્રભારી, સંગઠન મંત્રી અને વોર્ડ પ્રભારી પણ ઉપસ્થિત રહેશે.

(3:18 pm IST)