યુ.એસ.સ્થિત શ્રી હરિવદન જયકિશનદાસ મહેતાનું નિધન : 1 જાન્યુઆરી 2021 ના રોજ 92 વર્ષની જૈફ વયે ચિર વિદાય લીધી : શ્રી ક્રૃષ્ણ શરણમ મમઃ .
દિપ્તીબેન જાની દ્વારા ,ન્યુજર્સી : યુ.એસ.સ્થિત શ્રી હરિવદન જયકિશનદાસ મહેતાનું 1 જાન્યુઆરી 2021 ના રોજ નિધન થયું છે.14 ઓગસ્ટ 1928 ના રોજ જન્મેલા શ્રી હરિવદન જયકિશનદાસ મહેતાએ 92 વર્ષની જૈફ વયે ચિર વિદાય લીધી છે.
પ્રેમાળ પતિ , પિતા ,બ્રધર ,અંકલ ,તથા ફ્રેન્ડ એવા સદગત શ્રી હરિવદનભાઈની વર્ચ્યુઅલ અંતિમ યાત્રા 3 જાન્યુઆરીના રોજ યોજાઈ હતી.જેમાં ઝૂમ માધ્યમથી સ્નેહીઓ જોડાયા હતા.
તેઓ સુશ્રી નલીનીબેન તથા શ્રી દિનેશ વોરા ,શ્રી નૈષધભાઈ એચ.તથા સુશ્રી સંગીતાબેન મેહતા ,શ્રી કેતનભાઈ એચ.તથા સુશ્રી હિમાબેન મેહતા ,સુશ્રી તૃપ્તિબેન તથા શ્રી કિન્ની દેસાઈ ,તથા ગ્રાન્ડ ચિલ્ડ્રન સહિત વિશાળ પરિવાર તેમજ સ્નેહીજનોને વિલાપ કરતા છોડી ગયા છે.
પરમ કૃપાળુ પરમાત્મા તેમના પરમ પવિત્ર આત્માને શાંતિ આપે.ૐ નમો ભગવતે વાસુદેવાય ,શ્રી ક્રૃષ્ણ શરણમ મમઃ .
વિશેષ માહિતી માટે શ્રી નીતિનભાઈ (201-388-8487 ) , શ્રી રાજુભાઈ (732-644-6921 ) સુશ્રી તૃપ્તિબેન ( 973-220-2781 ), તથા શ્રી કેન્ની (201-709-6428 )દ્વારા સંપર્ક સાધી શકાશે.