છતીસગઢઃ ITBP કેમ્પમાં જવાનો વચ્ચે ફાયરીંગઃ ૬ના મોત
ર ને ઇજાઃ નાની વાતમાં ઝઘડા થયાનું તારણ
છતીસગઢ,તા.૪: છત્ત્।ીસગઢના નારાયણપુર જિલ્લા એક મોટા સમાચાર આવી રહ્યા છે. આઈટીબીપીના એક જવાને પોતાની સાથીઓ પર જ ફાયરિંગ કરી દીધું છે. ગોળી વાગવાના કારણે ૬ જવાનોના દ્યટનાસ્થળે જ મોત થઈ ગયા છે. તો ૨ જવાન દ્યાયલ થયા છે. કડેનાર સ્થિત આઈટીબીપીના કેમ્પમાં આ દ્યટના બની છે. મળતી માહિતી મુજબ, ગોળી ચલાવવાના જવાનનું પણ મોત થઈ ગયું છે. હાલ દ્યાયલ જવાનોને પાટનગર રાયપુર લઈ જવામાં આવી રહ્યા છે. રેન્જના આઈજી પી. સુંદરરાજે આ દ્યટનાની પુષ્ટિ કરી છે.
છત્ત્।ીસગઢના ગૃહ મંત્રી તામ્રધ્વજ સાહૂએ કહ્યું કે, આ મામલાની વિસ્તૃત જાણકારી મેળવવામાં આવી રહી છે. જવાનોની રજા નક્કી રહે છે, તેમને રજા માટે રોકવામાં નથી આવતા. તેથી રજાના કારણે આ દ્યટના નહીં બની હોય. તેઓએ કહ્યું કે, સ્ટેશનની કોઈ વાત નથી. જવાનોની વચ્ચે કોઈ વાતને લઈ પરસ્પર વિવાદ થયો હશે.
ફાયરિંગ કરનારા જવાનનું પણ મોત મળતી માહિતી મુજબ, બુધવાર સવારે કડેનાર કેમ્પમાં ફાયરિંગનો અવાજ આવ્યો. ફાયરિંગનો અવાજ સાંભળતા જ જવાન કેમ્પ તરફ ભાગ્યા. દ્યટનાસ્થળે જવાનોએ જોયું કે ૪ જવાનોના શબ પડ્યા હતા. સાથીઓ પર ફાયરિંગ કરનારા જવાનનું પણ મોત થઈ ગયું હતું.
ેમળતી માહિતી મુજબ, જવાનોમાં કોઈ વાતને લઈ વિવાદ થયો. ત્યારબાદ એક જવાને પોતાની સર્વિસ રાઇફલથી સાથીઓ પર ફાયરિંગ કરવાનું શરૂ કરી દીધું. બચાવ કરવા આવેલા બાકી જવાનોને પણ ગોળી વાગી અને તેઓ દ્યાયલ થઈ ગયા. દ્યટનામાં દ્યાયલ જવાનોને રાયપુર લાવવામાં આવી રહ્યા છે. દ્યાયલ બે જવાનોની સ્થિતિ ગંભીર હોવાનું કહેવાય છે. માનવામાં આવી રહ્યું છે કે રજા નહીં મળવાને કારણે જવાનો વચ્ચે વિવાદ થયો. વિવાદ વધ્યા બાદ જવાને સાથીઓ પર ફાયરિંગ કર્યું.નોંધનીય છે કે, ૧૯ જૂન ૨૦૧૯ના રોજ છત્ત્।ીસગઢ આર્મ્સ ફાર્સ (સીએએફ)ના એક આરક્ષકે પોતા જ બે સાથીઓ પર ફાયરિંગ કર્યું હતું. તેના કારણે બંને આરક્ષકોનું દ્યટનાસ્થળે જ મોત થયું હતું. આરોપી સીએએફ આરક્ષકની પોલીસે ધરપકડ કરી લીધી હતી.